Header Ad 728*90

લોકડાઉનની પરિસ્થિતિમાં #ખેડૂતો #પશુ અને #પશુપાલકો નું મહત્વ


આ લોકડાઉનની ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટર્સ અને અન્ય કર્મચારીઓ ની સાથે બધાને રોટલો આપનાર ખેડૂત અને પશુપાલન કરતા લોકો આજે પણ કામ ઉપર છે..અને એટલે જ આપણે ઘરમાં સલામત છીએ.
આ "વેલ એજ્યુકેટેડ" લોકો માટે કુદરત નો એક સંદેશ છે કે, જ્યારે આખી દુનિયા મુશ્કેલીમાં હતી ત્યારે પણ એક ખેડૂત લોકોને બચાવવા કામ કરી રહયો હતો. તો જ્યારે આ બધું નોર્મલ થઈ જાય ત્યારે એજ ખેડૂત મુશ્કેલી માં હોય ત્યારે માત્ર સોશ્યિલ મીડિયા માં સારા મેસેજ લખવાને બદલે એની મદદે આવજો..એને ન્યાય અપાવવા માટે..
માત્ર વિચારો જો ખેડૂતો અને પશુપાલકો પણ હાલ કામ ન કરી શકતા હોત તો જે કરોડો લોકો ઘરમાં છે એમની શુ હાલત થાય?
આ મેસેજ સ્ક્રીન શોટ કરી ને સાચવજો કારણ કે એ સમય જરૂર આવશે જ્યારે હાલ થઈ રહેલ આર્થિક નુકસાન ની ભરપાઈ કરવા "વિકાસ"ના નામે સૌથી પહેલા ખેડૂત નો જ ભોગ લેવામાં આવશે ત્યારે એજ ખેડૂત કે પશુપાલક નિરાધાર અને લાચાર ના થઇ જાય એનું ધ્યાન રાખજો સાથે સમય આવે ત્યારે આ જગત ના તાત નું ઋણ ચૂકવવા એની મદદે આવજો..
         આપ સૌ પાસે એટલી જ અપેક્ષા કે આપ હવે સાચા અર્થ માં ખેડૂત અને પશુપાલક નું મહત્વ સમજી શકશો.

Post a Comment

0 Comments