Header Ad 728*90

“પર્સન્ટેજ" અને "પરસંટાઈલ” ની સમજ

પર્સન્ટેજ" અને "પરસંટાઈલ” ની સમજ


#Percentage

પહેલા પરિણામ પર Percentage એટલે કે ટકાવારી છપાતી. ટકાવારીનો સીધો મતલબ છે કે તમને મળેલા કૂલ ગુણ સરેરાશ દર 100 એ કેટલા મળ્યા. જેમ કે તમને 600માથી 547 ગુણ મળ્યા હોય તો તેને 100 માં રુપાંતર કરવા માટે 547/06 કરવું પડે એટલે કે 91.17% થાય.

#Percentile

હવે પરિણામમાં Percentile આવે છે એટલે કે પ્રતિશત્ ક્રમાંક. પ્રતિશત્  ક્રમાંકનો સીધો મતલબ નિકળે છે કે તમે કેટલા વિદ્યાર્થીથી કરતા આગળ છો. જેમ કે કોઈ વિદ્યાર્થીના Percentile 98.15 છે અને રાજ્યમાં 15,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે જેમાંથી 10,00,000 પાસ થયા તો તેનો અર્થ એ થાય છે કે 10,00,000×98.15/100 = 9,81,500 મતલબ કે જે તે વિદ્યાર્થી 9,81,500 વિદ્યાર્થી કરતા વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે.

હવે આ ગણતરીથી તમે રાજ્યમાં આશરે કયા ક્રમે હશો તે જાણી શકાય. હવે ઉપરનો વિદ્યાર્થી 10,00,000 - 9,81,500 = 18,500 મા નંબર પર( રાજ્ય મા)  છે. મતલબ કે જેના Percentile 99.99 હોય તે રાજ્યમાં પ્રથમ સ્થાને હશે અને જેનો Percentile 0.01 હશે તે રાજ્યમાં અંતિમ નંબર પર હશે...!! એમ તો Percentileનું સુત્ર છે પણ સરળતા ખાતર ઉપરની આશરે ગણતરી કરી છે.

#તો_ટકાવારી_કરતા_પ્રતિશત્_ક્રમાંક_કઈ_રીતે_ઉપયોગી?

 દર વખતે રાજ્યમાં પરિણામ અગલ અલગ હોય છે અને દર વખતે પરિણામ પર અસર કરતા પરિબળો અલગ અલગ હોય છે. જેમ કે પેપરો સહેલા નીકળવા કે ભારીકોઈ આપદા જેમ કે 2001નો ભૂકંપ આવ્યો હતો. તો ઘણી વાર નબળુ વિદ્યાર્થી પણ સારા ટકા લાવી મુકે ને ભારી પેપર હોય તો હોશિયારના પણ ઓછા આવે. માટે ટકાવારીની મદદથી ચાલુ વર્ષના જ વિદ્યાર્થીની સરખામણી શક્ય બનતી પણ અલગ અલગ વર્ષના વિદ્યાર્થીની સરખામણી યોગ્ય ના હતી. ( ઉપર કહ્યું તેમ હોશિયારના ઓછા આવે ને હોશિયાર ના હોય તેના વધુ.)

 હવે પ્રતિશત્ ક્રમાંકની મદદ થી કોઈ પણ વર્ષના બાળક ને સરખાવી શકાય કારણ કે પ્રતિશત્ ક્રમાંકથી જે તે વર્ષમા બાળક રાજ્યમાં કયા ક્રમે રહ્યું તે જાણી શકાય.

એટલે કે percentile એ એક પ્રકારનું  રાજ્ય કક્ષાનું Merit list જ કહેવાય.”

#પ્રતિશત્_ક્રમાંક_નો_દૂરઉપયોગ

 ઘણી વાર વિદ્યાર્થી વાલીને Percentileને જ ટકાવારી બતાવીને ફાયદો ઉઠાવે.

વાલી પોતાના વિદ્યાર્થીની શાખ બચાવવા લોકોને Percentile ને ટકા ગણાવીને જુઠુ બોલે.

સૌથી ભયંકર તો આ ટ્યુશનિયા Percentileના આંકડાની પાછળ ટકા (%) નું નિશાન લખી ને ખોટી જાહેરાતો કરે જ્યારે Percentileની પાછળ કોઈ ચિહ્ન લાગેજ નહી તેની આગળ PR લાગે.

50% થી ઓછા ટકાવારી ધરાવતા વિદ્યાર્થીના Percentile ઓછા જ હોય અને ઘટતા જાય માટે કોઈ ને એમા થાય કે ટકા ઓછા આવ્યા.

 તમારે કોઈ પણ જગ્યા એ Percentile સાથે ટકાવારી પણ લખવી જોઈએ.”

નોટ:- વિદ્યાર્થીવાલી & શિક્ષકે ખાલી ખોટી ઇજ્જત બચાવવા આવા ખોટા શોર્ટકટ ના મારવાસચ્ચાઈ સ્વીકારી ને જાગ્યા ત્યાર થી સવાર.

 

Post a Comment

0 Comments